Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

મોરબીના કૃષ્ણનગર ગામમાં ઇલેક્ટ્રિક શોક લાગતા આધેડનું કરૂણમોત

ડીશ કનેક્શન વાયર રીપેરીંગ કરતા હોય ત્યારે ઇલેક્ટ્રિક થાંભલે શોક લાગ્યો

મોરબી તાલુકાના કૃષ્ણનગર ગામના રહેવાસી આધેડને ડીશ કનેક્શન વાયર રીપેરીંગ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગતા આધેડનું મોત થયું હતું

ટંકારા તાલુકાના મીતાણા ગામના રહેવાસી હિતેશ રામૈયાભાઈ કુંભારવાડિયા (ઉ.વ.૪૫) નામના આધેડ કૃષ્ણનગર (કોયલી) ગામે ડીશ કનેક્શન વાયર રીપેરીંગ કરતા હોય ત્યારે ઇલેક્ટ્રિક થાંભલે કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોક લાગતા આધેડનું મોત થયું હતું બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(9:42 pm IST)