Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

ભાવનગર જિલ્લાના ઉમરાળા નજીક ટ્રક પલટી ખાઇ જતાં ત્રણ મજુરોના કરૂણ મોત

વલ્લભીપુર નેશનલ હાઇવે પર ઉમરાળા ધોળા વચ્ચે ઈંટો ભરેલો ટ્રક ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા પલ્ટી ખાઈ ગયો

ભાવનગરના ઉમરાળા ધોળા વચ્ચે ઈંટો ભરેલો ટ્રક પલ્ટી જતા એક મહિલા સહીત ત્રણ લોકોના મોત નિપજ્યા છે,જયારે બેને ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા છે,

  અકસ્માતની મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર નેશનલ હાઇવે પર ઉમરાળા ધોળા વચ્ચે ઈંટો ભરેલો ટ્રક ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા પલ્ટી ખાઈ ગયો હતો , આ અકસ્માતમાં ટ્રકમાં બેઠેલા મજૂરો પૈકી અરવિંદભાઈ ગોવિંદભાઇ હળપતિ અને ઉકાભાઇ સોમાભાઈ હળપતિના ઘટના સ્થળે જ ગંભીર ઇજા પહોંચતા કરૂણમોત નિપજ્યા હતા જયારે ગંભીર રીતે ઘવાયેલા કોલીબેન છનાભાઈ ( ઉ,વ, 45 ) ( રહે, નેસડા -સિહોર )નું ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બે ઇજાગ્રસ્તોને ઉમરાળા પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે દાખલ કરાયેલ છે,

અક્સમાતથી રાજકોટ વલ્લભીપુર હાઇવે પર ઉમરાળા ધોળા ગામ નજીક ટ્રાફિક જામ થઇ ગયો હતો

અકસ્માતની જાણ થતા ઉમરાળા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો,અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

 

(8:19 pm IST)