Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ભાવનગરમાં કોરોનાથી એક મોત, ૫૮ પોઝીટીવ

ભાવનગર,તા.૨૯ : જિલ્લામા વધુ ૫૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૦૬૬ થવા પામી છે. શહેરી વિસ્તારમાં ૨૫ પુરૂષ અને ૧૩ સ્ત્રી મળી કુલ ૩૮ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે સિહોર તાલુકામાં ૩, ગારીયાધાર તાલુકામાં ૧, ઘોઘા તાલુકામાં ૨ તેમજ તળાજા તાલુકામાં ૧૪ કેસ મળી કુલ ૨૦ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ઘોઘા તાલુકાનાં મોરચંદ ગામ ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દી દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૮૧ અને તાલુકાઓમાં ૭૧ કેસ મળી કુલ ૧૫૨ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૨૧,૦૬૬ કેસ પૈકી હાલ ૭૫૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૮૧ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:52 am IST)