Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ધારી ગીર પૂર્વમાં ર૪ કલાકમાં ૩ સિંહોના મોતના કારણ માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ

અમરેલી, તા. ર૯ :  ધારી ગીર પૂર્વમાં ર૪ કલાકમાં ૩ સિંહોના મોત બાદ વન વિભાગની ટીમ દ્વારા તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આ સિંહોના  મોતનું કારણ ત્યારબાદ જાહેર કરવામાં આવશે.

ગઇકાલે સાવરકુંડલા રેન્જમાંથી ૩ અને ખાંભા રેન્જમાંથી એક એમ કુલ ૪ સિંહોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અમરેલી જીલ્લાના મીતીથાળા અભ્યારણ્ય અને રાજુલાના કોવાયા નજીક અને ખાંભા પંથકમાં સિંહોના મોત થતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહને એનીમલ કેર સેન્ટરમાં મોકલીને તેના મોતના કારણ જાણવા તપાસ શરૂ કરાઇ છે.(

(1:08 pm IST)