Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

પોરબંદરની કેશવ સીમમાં સસલાનો શિકાર કરનાર નવઘણ પરમાર ઝડપાયો

પોરબંદર, તા. ર૯ :  તાલુકાની કેશવ ગામની સીમમાં સસલાનો શિકાર કરનાર બગવદરના નવઘણ પરબતભાઇ પરમારને વન ખાતાના અધિકારીઓએ પકડીને રપ હજારનો દંડ ફટકારેલ છે.

પોરબંદર તાલુકાના કેશવ ગામના રેવન્યુ વિસ્તારમાં નવઘણ પરબતભાઇ પરમાર રહે. બગવદર વાળા દ્વારા સસલા જીવ-૧નો ગેર ધોરણે શિકાર કરી આ સસલાને પ્લાસ્ટીકની બેગમાં રાખેલ હતો.

વન વિભાગના સ્ટાફ દ્વારા આ શખ્સને મૃત સસલા જીવ-૧, તથા સુતરાના મોટા મેવટા (જાળી) નંગ-ર સાથે પકડી પાડવામાં આવેલ હતો. આ ગુન્હા બાબતે નાયબ વન સંરક્ષકશ્રી, પોરબંદર ડી.જે. પંડયાના માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણી (સંરક્ષણ) અધિનિયમ-૧૯૭ર ની કલમ નંબર ૯ મુજબ ગુન્હો નોંધી આ ગુન્હા અન્વયેના તહોમતદાર પાસેથી એડવાન્સ દંડ રીકવરી પેટે રકમ રૂ. રપ,૦૦૦/- અંકે રકમ રૂ. પચીસ હજાર વસુલ કરવાની કાર્યવાહી કરેલ હતી.

(11:34 am IST)