Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

રાજકોટમાં નરેન્દ્રભાઈની કલાકૃતિઓના આર્ટ પ્રદર્શનમાં જામનગરના પ્રતિક્ષા જોશીની કૃતિ

જામનગર, તા. ૨૯ :. નારી શકિત એજ્યુકેશન ટ્રસ્ટ અને આર્ટીસ્ટ ગ્રુપ દ્વારા તા. ૧ થી ૩ જૂન દરમિયાન રાજકોટની આર્ટ ગેલેરી ખાતે ભારતના ૨૦૦ આર્ટિસ્ટની કલાકૃતિઓનું પ્રદર્શન યોજાઈ રહ્યુ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અલગ અલગ મુદ્રાઓ અને અદાઓના ચિત્રો પ્રદર્શિત થશે. આ મેગા આર્ટ પ્રદર્શનમાં જામનગરની યુવા આર્ટીસ્ટ પ્રતિક્ષા જોશીની પણ પસંદગી થયેલ છે. જે જામનગર માટે ગૌરવ કહી શકાય. આ પ્રદર્શનને રેકોર્ડ બનાવવાના પણ પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે. આવી રાષ્ટ્રીય કક્ષાના આ પ્રદર્શનમાં પસંદગી પામી પ્રતિક્ષા જોષીએ જામનગરની કલાને ઉચ્ચ સ્થાન અપાવેલ છે.

(1:24 pm IST)