Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

મોરબીમાં પાડાપુલ પરથી પડી જતા રમેશ ભંખોડીયાનું મોત

કારખાનામાં પાણીની ટાંકીમાં પગ લપસી જતા સુરજ સિંગારનું મોત

મોરબી, તા.૨૯: મોરબીના સામાંકાંઠે આવેલ ઇન્દિરાનગરમાં રહેતા યુવાન કોઈ કારણોસર પાડાપુલ પરથી પડી જતા મોત નીપજયું હતું.

મોરબીના ઇન્દિરાનગરમાં રહેતો રમેશ બાવજીભાઈ ભંખોડિયા (ઉ.૧૯) વાળો સવારના સુમારે અગમ્ય કારણોસર પાડાપુલથી નીચે પડી જતા તેને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજયું છે. બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસ મથકના આઈ.ટી.જામ વધુ તપાસ ચલાવી રહ્યા છે. જો કે યુવાને કયા કારણોસર પુલ પર થી પડયો અને યુવાન અકસ્માતે પડયો છે કે આપઘાત કર્યો છે તે તો પોલીસની વધુ બાદ જ જાણી શકાશે.

 બીજા બનાવમાં મોરબી તાલુકાના ઉંચી માંડલથી તળાવીયા-શનાળા ગામ તરફ જવાના રસ્તે આવેલ એકસેસ ગ્રેનાઈટો નામના કારખાનામાં સુરજ કૈલાશ સિંગાર (ઉ.૨૫) વાળો પાણીની ટાંકી સાફ કરતો હોય દરમિયાન તેનો પગ લપસી જતા તેને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજયું હતું બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.(૨૩.૯)

(1:19 pm IST)