Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

માણાવદરમાં મોબાઇલ ચાર્જીંગમાં મુકતા વીજ કરંટ લાગવાથી તરૂણનું મોત

જૂનાગઢ તા. ર૯ :.. મોબાઇલ ફોન માણાવદરમાં એક તરૂણ માટે યમદુત સાબીત થયો હોવાનું જાણવા મળેલ છે.

માણાવદરનાં પ્લોટ વિસ્તારમાં રહેતા મુકેશભાઇ રાઠોડનો પુત્ર જયદિપ (ઉ.૧૭) ગઇકાલે તેના ઘરે મોબાઇલ ફોન ચાર્જીંગ કરવા માટે તેની પીન પ્લગમાં ભરાવી રહ્યો હતો.

ત્યારે અચાનક જ ઇલેકટ્રીક શોર્ટ લાગતા જયદિપ ફંગોળતા ગયો હતો. ગંભીર હાલતમાં દાઝી જતાં આ સગીરને સારવાર માટે ખસેડવામાં આવેલ પરંતુ ફરજ પરનાં તબીબે જયદિપને મૃત જાહેર કર્યો હતો.

હતભાગી પુત્રનાં પિતા મુકેશભાઇ અમરેલી જિલ્લાના વડીયાના રાયપુર ગામનાં વતની છે. પુત્રનાં મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી છે.

(11:33 am IST)