Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા ખેડુતો માટે અકસ્માત મૃત્યુ વિમો લેવાયો

ગોંડલ તા.૨૯: ગોંડલ ખેતીવાડી ઉપન્ન બજાર સમિતિના ચેરમેન ગોપાલભાઇ શીંગાળા તેમજ વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજાની યાદીમાં જણાવેલ છે કે ગોંડલ માર્કેટ દ્વારા તાલુકાના ખેડુતભાઇઓ માટે અકસ્માત મૃત્યુ વિમાની રૂ.૫ લાખની પોલીસી ગત તા.૭-૫-૨૦૧૯થી લેવામાં આવેલ છે.

ગોંડલ તાલુકાના ખાતેદાર ખેડુતભાઇઓ તથા માર્કેટ યાર્ડના લાયસન્સ ધારકોનો આ પોલીસીમાં સમાવેશ થયેલ છે ગોંડલ તાલુકાના ખેડુતભાઇઓના આકસ્મીક મૃત્યુ અઘટિત બનાવ બને તો તે અંગેની જાણ ફોન.નં.૦૨૮૨૫-૨૨૦૮૭૧ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

(11:32 am IST)