Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ભાણવડના હાથલામાં સહકારી મંડળીના મંત્રીએ માનસીક તણાવમાં આવી કેરોસીન છાંટી સળગી જતાં મોત

ભાણવડ તા.૨૯: ભાણવડના હાથલા ગામે સહકારી મંડળીના મંત્રી તરીકે ફરજ બજાવતા પૌઢે બિમારીથી કંટાળી તથા કામના ભારણના કારણે સળગી જઇ આપઘાત કરી લેતા મોત નિપજ્યુ હતું.

વિગત મુજબ મુળ પોરબંદર અને હાલ ભાણવડ તાલુકાના હાથલા ગામે જુથ સેવા સહકારી મંડળીના મંત્રી તરીકે ફરજ બજાવતા રતીલાલ માધવજી થાનકી (ઉ.વ.૭૨) ને ડાયાબીટીશની બિમારી હોય તેમજ સહકારી મંડળીમાં કામનું ભારણ રહેતું હોવાથી માનસીક ટેન્સમા આવી ગત તા.૨૮ના રોજ હાથલા ગામે ઘરે પોતાની હાથે કેરોસીન છાંટી સળગી જતાં મોત નિપજયું હતું. આ અંગે તેમના પુત્ર યોગેશ રતીલાલ થાનકી રહે. પોરબંદર જનકપુરી સોસાયટી વાળાએ પોલીસમાં જાહેર કરેલ  છે.

(11:32 am IST)