Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

વાંકાનેરના જાવેદ મર્ડર કેસ સંદર્ભે કોર્ટ દ્વારા લાશનું પી.એમ. કરવા હુકમ

વાંકાનેર તા. ર૯ :.. વાંકાનેરની કોર્ટમાં અમીનાબેન હુસેનભાઇ કડીવારે પોતાના પુત્ર જાવેદની હત્યા અંગે કરેલ ફરીયાદના સંદર્ભે અદાલતે એફ. આઇ. આર. દાખલ કરી મરનારની લાશનું ફરી. પી. એમ. કરાવવાનો હુકમ કર્યો હતો.

ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદીના પુત્રીના આ કામના આરોપી નં. ૧ સાથે લગ્ન થયા હતાં. ફરીયાદીના પુત્ર અને તેની પત્નિ વચ્ચે વારંવાર ઝઘડાઓ થતાં જેના કારણે ધાક ધમકી અપાતી તેમજ મારકુટનો પ્રયાસ પણ થતો હતો.

આ દરમ્યાન ફરીયાદીના પુત્ર જાવેદનું મૃત્યુ થતાં ફરીયાદી અમિનાબેન કુલસુમબેન રહીમભાઇ મેસાણીયા સહિત ૪ સામે ફરીયાદ કરી હતી.

ઉપરોકત શંકાસ્પદ મર્ડર કેસના આરોપીઓ સામે આઇપીસી પ૦૬ મુજબ નવી એફઆઇઆર દાખલ કરી, મરણ જનારની લાશનું ફરી પાછુ પીએમ કરવા કોર્ટે હુકમ કરતા વાંકાનેર તાલુકામાં આ બનાવે ભારે ચકચાર જાગી છે. ફરીયાદ પક્ષે વાંકાનેર - રાજકોટના એડવોકેટ રંજન બાળા રાણાએ આ કેસમાં રોકાયા છે. 

(11:48 am IST)