Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ગુરૂવારે જળ સંચય અભિયાનનો ભાવનગર જીલ્લા કક્ષાએ કાર્યક્રમ મહુવામાં

જયશેભાઇ રાદડિયા, ડો ભારતીબેન શિયાળ સહિતના ઉપસ્થિત રહેશે

ભાવનગર તા ૨૯ : સુજલામ સુફલામ જળસંચય અભિયાન-૨૦૧૮ સંદર્ભે તા ૩૧ સવારે ૯.૦૦ કલાકે ભાવનગર નિલ્લા કક્ષાનો કાર્યક્રમ મહુવા ગુરૂકુળની બાજુમાં માલણ નદીના પટ ખાતે અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના મંત્રી જયેશ રાદડીયા અને સાંસદ ડો. ભારતીબેન શિયાળ સહિતનાની ઉપસ્થિતીમાં યોજાશે.

આ કાર્યક્રમ સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ, કલેકટર કચેરી ભાવનગર ખાતે બેઠક યોજી હતી. તા ૩૧ ના મહુવા ખાતે યોજાનારા કાર્યક્રમમાં નર્મદા જળપુજન, પ્રસાદની વહેંચણી, દાનવીરોનું સન્માન કરવામાં આવશે, સુજલામ સુફલામ વિશ. પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત કુલ ૧૧ કળશ સાથે સર્વ ીમાજના ૧૦૮ યજમાન નર્મદા જળપુજન કરશે ૦૨ થી ૦૩ પંડિતો અને ૪ થી પ હજાર લોકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં  લોકો દ્વારા સાફલ્ય ગાથા રજુ કરાશે. બેઠકમાં નિવાસી અધિક કલેકટર ઉમેહ વ્યાસ, સિંચાઇ કાર્યપાલક ઇજનેરશ્રી અને સુજલામ સુફલામ જળસંચય અભિયાન ૨૦૧૮ ના ભાવનગર જિલ્લાના નોડલ ઓફિસર એસ.જી. પટેલ, પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર સહિત સબંધિત કચેરીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા.

(11:46 am IST)