Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

દ્વારકાધીશ જગત મંદિર 15મી મેં સુધી ભક્તો માટે બંધ રહેશે : કોરોનાના ઝડપથી વધતા કેસને પગલે લેવાયો નિર્ણય : પૂજારી પરિવાર દ્વારા પારંપરિક નિત્યક્રમ કરાશે : ભાવિકોને વેબસાઈટ પર લાઈવ દર્શનનો લાભ લેવા અપીલ

દ્વારકાધીશ જગત મંદિર 15મી મેં સુધી ભક્તો માટે બંધ રહેશે ,કોરોનાના ઝડપથી વધતા કેસને પગલે નિર્ણય લેવાયો છે દ્વારકાધીશ મંદિરની યાદી મુજબ હાલના સમયમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહયા છે જે ધ્યાનમાં લઈ આગામી તારીખ ૧૨/૦૪/૨૦૨૧ થી તારીખ ૩૦/૦૪/૨૦૨૧ સુધી જગત મંદિર બંધ રાખવા નિર્ણય કરવામાં આવેલ હતો. પરંતુ વર્તમાન કોરોનાની સ્થિતીને ધ્યાને લઈ આગામી તા.૦૧/૦૫/૨૦૨૧ થી તા.૧૫/૦૫/૨૦૨૧ સુધી જગત મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવે છે. જગત મંદિરમાં પુજારી પરિવાર દવારા પારંપારીક નિત્યક્રમ કરવામાં આવશે. જે દર્શનનનો લાભ સંસ્થાની વેબ સાઈટ WWW.DWARKADHISH.ORG માં લાઈવ નીહાળી શકાશે જેની સર્વેએ નોંધ લેવા વિનંતી છે.

(6:47 pm IST)