Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

પરિણીત યુવાને તળાજી નદીના પુલ પરથી લગાવી મોતની છલાંગ

ભાવનગર,તા.૨૯:  તળાજા શહેર માં શિવાજીનગર ખાતે રહેતા અને મૂળ સાંગાણાં ગામના વતની પાર્થરાજસિંહ રામદેવસિંહ સરવૈયા ઉ.વ ૩૪ એ તળાજી નદીના જુના પુલ પરથી નીચે ભરેલા પાણીમાં ધુબાકો મારેલ.અહીં લોકોના ટોળા ઉમટ્યા હતા.યુવકે ધુબાકો માર્યો છે તે એક વાણંદ જ્ઞાતિનો યુવક જોઈ ગયો હતો. આથી તેમણે જાણ કરી હતી.

સેવાભાવી તરવૈયા યુવાનો,નગરપાલિકાનો સ્ટાફ હાથવગા સાધનો લઈ કામે લાગતા એકાદ કલાક બાદ યુવકનો પાર્થિવ દેહ મળ્યો હતો.યુવક મિલન સાર સ્વભાવના જાણીતા હોય અરેરાટી પ્રસરી ગઈ હતી.મૃતકના કાકાના દીકરા ધર્મેન્દ્રસિંહ અનિરૂદ્ઘસિંહ સરવૈયા એ પોતાના કાકાના દીકરા એ અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યાનું પોલીસને નિવેદનમાં લખાવેલ હતું.

નોંધનીય છેકે મૃતકના પિતા રામદેવસિંહ સરવૈયા શેત્રુંજી સિંચાઈ યોજનામાં ફરજ બજાવે છે.આથી તેઓ પણ તેમના મિલનસાર સ્વભાવ ને લઈ ગામડે ગામડે જાણીતા છે.

બનાવના પગલે સ્થળ પર.મામલતદાર, ચીફ ઓફિસર દોડી આવ્યા હતા.લોકો એ લાગણી વ્યકત કરી હતીકે આ પુલ આત્માહત્યા કરવાનું સાધન બની રહ્યો હોય કોઈ છલાંગ ન લગાવી શકે તેમાટે બંને સાઈડ મજબૂત જાળી ફિટ કરવામાં આવે.

(11:41 am IST)