Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

ભાવનગરમાં 300 કેદીઓની ભૂખ હડતાલ :પેરોલ પર છોડવા માંગ : પ્રશાસનની સમજાવટ છતાં 300થી વધુ કેદીઓએ અન્નનો ત્યાગ કર્યો

ભાવનગર જિલ્લા જેલના કેદીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા છે. જેમાં કોરોના સંક્રમણ ફેલાવા ના ભયને કારણે કાચા કામના કેદીઓએ પેરોલ પર છોડવા માંગ કરી રહ્યાં છે. તેમજ જિલ્લા જેલમાં હાલ કાચા અને પાકા મળી 483 કેદીઓ છે.

 કોરોના વાયરસ એ સંક્રમણથી ફેલાતો રોગ છે. જે એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે. ત્યારે આ વાતની ગંભીરતા જાણી ભાવનગર જિલ્લા જેલમાં 300 જેટલા કેદીઓએ અન્નનો ગઈકાલથી ત્યાગ કર્યો હતો.હાલની સ્થિતિને ધ્યાને લઇને પેરોલ પર છોડવાની માંગ કરી હતી.

જેલ પ્રશાસને સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે ઉપર સુધી રજૂઆત કરી હતી.જો કે જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓની સમજાવટ છતાં 300થી વધારે કેદીઓ ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા.

(7:47 pm IST)