Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

રાજુલાઃ મહંત લવકુશ મુની સહિત ૪ના મોત

વ્હેલી સવારે ચાંદલીયા ડુંગરા પાસે બનેલી ઘટના : હરિદ્વારથી યાત્રા કરીને આવતા'તા : કાર ઝાડ સાથે અથડાઇ પડી

રાજુલા : પ્રથમ તસ્વીરમાં ઘટના સ્થળે મૃતદેહો તથા બીજી તસ્વીરમાં પોલીસ ટીમ હોસ્પિટલે દોડી ગઇ હતી તે નજરે પડે છે. (તસ્વીર : શિવકુમાર રાજગોર, રાજુલા)

રાજુલા તા. ૨૮ : અમરેલી જિલ્લાના રાજુલા પાસે સર્જાયેલા અકસ્માતમાં ચાંદલીયા ડુંગરાના મહંત લવકુશમુની સહિત ૪ના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજુલામાં વહેલી સવારે ૪ વાગ્યે ચાંદલીયા ડુંગરા પાસે હરિદ્વારથી યાત્રા કરીને પરત આવી રહેલા યાત્રાળુઓ ફોર વ્હીલ ગાડીમાં આવી રહ્યા હતા ત્યારે ફોરવ્હીલ ગાડી ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ચાંદલીયા ડુંગરાના મહંત લવકુશ મુનીનું પણ મૃત્યુ થયેલ છે.

 જેમાં બીજા ત્રણ રૂડાભાઇ વિરાભાઇ, રૂખડબાપુ (બાલાપર) તેમજ પુંજાભાઇ રામ સોલંકી (પીપાવાવ) એમ ચાર લોકોના મોત થયેલ છે.

ઘટનાની જાણ થતાં પી.આઇ.શ્રી ઝાલા, પીએસઆઇ શ્રી ગોહિલ ઘટના સ્થળે પહોંચી તમામના પીએમ કરાવવાની તજવીજ હાથ ધરેલ છે.

(11:26 am IST)