Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

શાપર - વેરાવળમાં જયરાજ જેબલીયાની કુવામાંથી લાશ મળી

યુવાને માનસીક બીમારીના લીધે પગલુ ભર્યું હોવાની શંકા

ગોંડલ : શાપર - વેરાવળમાં આવેલ શાંતિધામ-૨માં રહેતો જયરાજ ભીખુભાઇ જેબલીયા (ઉ.વ.૨૭) બે દિવસ પહેલા પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી અને શાપર - પોલીસ મથકમાં પણ ગુમ થયાની જાણ કરી હતી. દરમિયાન તેની કુવામાંથી લાશ મળી આવતા ફાયરબ્રિગેડને જાણ કરતા ગોંડલ ફાયર બ્રિગેડ સ્ટાફે જયરાજની લાશને કુવામાંથી બહાર કાઢી હતી.

આ બનાવમાં શોધખોળ દરમિયાન પરિવારજનોએ વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં જયરાજ કુવા પાસે જતો નજરે પડયો હતો. તેણે માનસીક બીમારીના કારણે આ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગેની જાણ થતાં શાપર વેરાવળ પોલીસ મથકના એએસઆઇ વી.બી.ચાવડાએ તપાસ હાથ ધરી છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(1:04 pm IST)