Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

જૂનાગઢના બિલખાના ક્ષત્રીય ખાંટ રાજપૂત યુવા શકિત સંગઠન દ્વારા રવિવારે સમુહલગ્ન

 વિરપુર (જલારામ) તા. ૨૯ : સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શકિત સંગઠન દ્વારા બીલખાના નવાગામમાં આવેલ નૂરસતાગોર ધામ ખાતે તા.૧/૩/૨૦૨૦દ્ગચ રવિવારે ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે,આ સમૂહ લગ્નમાં ખાંટ રાજપૂત સમાજના ૨૬ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે તેમજ સાથો સાથ વ્યસન મુકિત,બેટી બચાવો, બેટી પઢાવોના સંકલ્પ લેવડાવવામાં આવશે,આ સમૂહ લગ્નમાં દીકરીબાઓને ભગવત ગીતા સહિતનીઙ્ગ પાત્રીસ જેટલી નાની મોટી વસ્તુઓ કરિયાવર કરવામાં આવશે.

આ સમૂહ લગ્નોત્સવની આગલી રાતે એટલે કે તા.૨૯/૨/૨૦૨૦દ્ગચ શનિવારે રાત્રે ભવ્ય સંતવાણી તથા લોકડાયરાનું આયોજન પણ કરેલ છે જેમાં નીતિનભાઈ મૂળિયા- હાસ્ય કલાકાર, સિધ્ધરાજ ચાવડા- બાળ કલાકાર, તેજલબા દરબાર- ભજનિક તથા રાજાભાઈ ગઢવી- લોકસાહિત્ય વગેરે કલાકારો પોતાની કલા પીરરસે.

આ ચતુર્થ સમૂહ લગ્નોત્સવમાં પ.પૂ.રાજભારતી બાપુ- ઝાંઝરડા તથા પ.પૂ.રામાનંદજી ગુરુશ્રી ભાવનાનંદજી- ઇન્દ્રેશ્વર મંદિર દોલતપરા તેમજ પ.પૂ.ક્રિષ્નાદીદી- ભાગવત કથાકાર રાજકોટ આશિર્વચન પાઠવશે.મુખ્ય મહેમાનોમાં ખાંટ રાજપૂત સમાજના ડો.જીતેન્દ્રભાઈ પીપળીયા,ભુપતભાઇ સોલંકી,વેલજીભાઈ સરવૈયા,કે.ટી.લાલકીયા,પ્રવીણભાઈ વાદ્યેલા, કાનભાઈ ભેડા, જીવરાજભાઈ મુળીયા, હેમંતભાઈ સરવૈયા, સુનિલભાઈ જેઠવા વગેરે જ્ઞાતિ અગ્રણીઓ અને અતિથિઓ સહિતના રાજકીય આગેવાનો હાજરી આપશે જયારે આ ચતુર્થ સમૂહ લગ્નોત્સવના અધ્યક્ષ કે.પી.ગુજરાતી, મુકેશભાઈ ઝાલા,ભુપતભાઇ સોલંકી, રમેશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં યોજાશે,

આ ચતુર્થ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શકિત સંગઠનના એક હજાર જેટલા યુવાનો તેમજ ખાંટ રાજપૂત સમાજના સ્વયંમ સેવકો ખડેપગે રહી જહેમત ઉઠાવશે તેમ ચતુર્થ સમૂહ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ શ્રી હરેશભાઇ મકવાણાની યાદીમાં જણાવાયું છે.

(11:45 am IST)