Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

મોરબીમાં સરકારી આયુર્વેદ દવાખાનું -વૈદ્ય સભાના ઉપક્રમે નિદાન કેમ્પ

 મોરબીઃ સરકારી આયુર્વેદ દવાખાનુ જનરલ હોસ્પિટલતથા વૈદ્ય સભાના સંયુકત ઉપક્રમે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ કેમ્પમાં લાભ લીધો હતો. જે કેમ્પમાં સાંધાના દુખાવા, કમરના દુખાવા, મણકાની તકલીફ, ગરદનના દુખાવા વગેરેની આયુર્વેદિક અગ્નિ કર્મ તેમજ મર્મ ચિકિત્સા પધ્ધતિ મુજબ સારવાર કરવામાં આવેલ હતી. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીદ્યો હતો. આ કેમ્પમાં વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર ,વૈદ્ય પ્રવિણભાઈ વડાવિયા, વૈદ્ય મિલનભાઇ સોલંકી. સહિતના ડોકટર્સઙ્ગ સેવા આપેલ હતી. તેમજ અગ્નિ કર્મ તેમજ મર્મ ચિકિત્સા પધ્ધતિ મુજબની સારવાર સરકારી આયુર્વેદ દવાખાનુ જનરલ હોસ્પિટલ મોરબી તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબીમાં વિના મુલ્યે ઉપલબ્ધ હોય જેની જાહેર જનતાએ લાભ લેવા વૈદ્ય ખ્યાતિબેન ઠકરારએ અનુરોધ કર્યો હતો.કેમ્પમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:42 am IST)