Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

તળાજામાં સીએએના સમર્થનમાં રેલીઃ સ્વંયભૂ બંધ

ભાવનગર, તા.૨૯:સીએએના સમર્થનમા તળાજામાં સવારે ૧૦ કલાકે અખેડામાંથી રેલી યોજવાનું આયોજન થયુ છે. તિરંગા રૂટ મુજબ નોંરૂટ ગોઠવાયો છે. રેલી માટે તાલુકા યુવા ભાજપના અશોકભાઈ લાધવા દ્વારા મંજૂરી મગાઈ છે. પાંચ હજાર સમર્થકો રેલીમાં જોડાય તેમ મંજૂરી પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રેલીમાં વધુ જન સંખ્યા જોડાય તે માટે ગ્રામ્ય ભાજપના આગેવાનો અને કાર્યકરો, રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા ગામડે ગામડે બેઠકો યોજવામાં આવી છે. ગામડે થી તળાજા સમર્થકો આવશે.

શહેર તાલુકા ભાજપના આગેવાન કાર્યકરો,હોદેદારો, નગર સેવકો સહિતના સામુહિક રીતે વેપારીઓ રેલીને સમર્થન આપે અને જોડાય, સ્વંયભૂ રીતે રેલી દરમિયાન ધંધા રોજગાર બંધ રાખે તે માટે અપીલ કરવા નીકળ્યા હતા.

રેલીને લઈ તળાજા પ.સ.ઇ જે.કે મૂળિયા એ જણાવ્યું હતુંકે રેલી ના રૂટ નું નિરીક્ષણ થઈ ગયુ છે. બે પી.આઈ, ત્રણ પો.સ.ઇ અલંગ, દાઠા,ખૂટવડા પોલીસ મથકના એંશી પોલીસ જવાનો, હોમગાર્ડ,જીઆરડી જવાનો બંદોબસ્તમાં છે.

(11:40 am IST)