Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

સાવરકુંડલામાં ભારત બંધનું સમર્થન : અનેક વિસ્તારો સજ્જડ બંધ

સાવરકુંડલા તા. ૨૯ : સાવરકુંડલા બહુજન કાંતિ મોરચા દ્વારા આપવામાં આવેલ ભારત બંધના એલાનમાં સાવરકુંડલામાં ઘણી સફળતા શહેરના ઘણા ખરા વિસ્તારો સજ્જડ બંધ રહ્યા હતા.

ભારત સરકાર દ્વારા એસીસી અને એનઆરસી જેવા કાળા કાયદા સામે વિરોધ કરવા બહુજન કાંતિ મોરચા દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે. આ બંધના એલાન સાવરકુંડલા શહેરવાસીઓએ સૂર પુરાવવા શહેરના ઘણાખરા વિસ્તારોમાં નાના-મોટા ધંધા રોજગાર બંધ રાખી એસીસી અને એઆરસી હટાવવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. સાવરકુંડલા શહેરના ઘણા વિસ્તારો બંધ રહ્યા તેમજ રિક્ષા, ટ્રેક જેવા નાના-મોટા વાહનો તથા દુકાનોવાળાઓએ પોતાના ધંધા રોજગાર શાંતિપૂર્વક બંધ રાખી વિરોધ દર્શાવેલ હતો.

(1:40 pm IST)