Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

મોરબીની એસટી સવારી નથી સલામતઃ બસમાં ડ્રાઇવર સાઇડનો દરવાજો ગાયબ

મોરબી તા. ૨૯ : સલામત સવારી એસટી અમારી એવા સ્લોગન આપતા એસટી નિગમનું નાક વાઢતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મોરબીના ગ્રામ્ય રૂટમાં ચાલતી એસટી બસમાં ડ્રાઈવર બાજુનો દરવાજો જ ગાયબ જોવા મળ્યો હતો.

મોરબીથી કુંતાસી ગામ જતી બસ ગત તા. ૨૫ ના રોજ નિયત ટ્રીપમાં ગઈ હતી જોકે આ એસટી બસમાં ડ્રાઈવર સાઈડનો દરવાજો જ ગાયબ હતો જી હા સાંભળીને ચોક્કસ આશ્ચર્ય થશે પરંતુ આ હકીકત છે દરવાજો તૂટેલો કે બંધ ના થાય તેવી સ્થિતિમાં નહિ પરંતુ દરવાજો જ ગાયબ હતો અને દરવાજા વિનાની બસમાં એસટી ડ્રાઈવરે જીવના જોખમે તેની નિયત ટ્રીપ પૂરી કરી હતી. જોકે સલામત સવારીના દાવા કરતા તંત્રને એ યાદ રાખવું જોઈએ કે માત્ર મુસાફરો જ નહિ પરંતુ એસટી વિભાગમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષાની જવાબદારી પણ તેને જ નિભાવવાની હોય છે. બસના ડ્રાઈવરની સીટ પાસે દરવાજો જ ના હોય ત્યારે આ સવારી કેટલી જોખમી બને છે તેની કલ્પના કરવી મુશ્કેલ છે.

(11:06 am IST)