Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ધ્રાંગધ્રાના કુડા રોડ ઉપર જરખે હુમલો કરતા ૧૫ ઘેટા - બકરાના મોત

 વઢવાણ તા. ૨૯ : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા કુડા રોડ ઉપર માલધારીઓ દ્વારા પોતાના પશુઓ ચરાવી રહ્યા હતા તે અરસામાં જંગલી પ્રાણી જરખે આ પશુઓ ઉપર હુમલો કરવામાં આવતા ઘટનાસ્થળે ૧૫થી વધુ પશુઓના મોત નિપજ્યા છે.

એક જ માલધારીના ૧૫ ઘેટા - બકરાના મોત નિપજતા માલધારીઓમાં રોષ વ્યાપ્યો છે. જિલ્લામાં અવાર-નવાર જંગલી પ્રાણીઓના હિંસક હુમલાના કારણે અનેક પશુઓની જિંદગી મોતને ઘાટ ઉતરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાની વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઇને મૃતક પ્રાણીઓના અને આ પ્રાણીઓના માલિકની મુલાકાત લીધી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

(11:06 am IST)