Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

પ્રયાગરાજ કુંભમાં મોરારીબાપુ અને રમેશભાઇ ઓઝાનું મિલન

એકના રૂવાડે રામ રમે છે એવા પ્રખર રામાયણી કથાકાર વિશ્વવંદનીય સંત પૂ. મોરારી બાપુ તેમજ એકના રૂવાડે કૃષ્ણ ભગવાન રમે છે તેવા રાષ્ટ્રીય સંત ભાગવતાચાર્ય ભાઇ રમેશભાઇ ઓઝા આ બન્ને મહાપુરૂષોનું પ્રયાગરાજ કુંભમાં મિલન થયું હતું. પ્રયાગરાજકુંભમાં હંસદેવાચાર્યજી મહારાજની શિબિરમાં પૂ. સ્વામી ગોવિંદદેવગીરીજીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ સંત સંમેલનમાં પૂ. બાપુ અને પૂ. ભાઇશ્રીનું અદ્ભૂત મિલન થયુ હતું. ઉપરોકત તસ્વીરમાં આ બન્ને મહાપુરૂષો પ્રેમથી સંવાદ કરતા નજરે પડે છે. (તસ્વીર : અહેવાલ વિનુ જોષી, જુનાગઢ)

(3:32 pm IST)