Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

જેતપુરમાં સદગત માતાને બન્ને દીકરીઓએ કાંધ આપી

(નીતીન વસાણી દ્વારા) નવાગઢઃ જેતપુર નિવાસી સ્વ. રમેશચંદ્ર ચંપકલાલ બાવીશીના ધર્મપત્ની તથા ધર્મપત્ની તથા આશીષભાઇ રમેશચંદ્ર બાવીશીના માતુશ્રી જયશ્રીબેન રમેશચંદ્ર બાવીશી (ઉ.વ.૬પ) તા.ર૭ના રોજ અરીહંત શરણ પામેલ છે.

તેમની અંતિમયાત્રા સવારે ૮ વાગ્યે તેમના નિવાસસ્થાન શિવમ કોલેજ સામે જુનાગઢ રોડ ખાતેથી નીકળી હતી તેમજ તેના પુત્ર આશીષભાઇ દુબઇ સ્થિત હોવાથી આવી શકે એમ નો હોય જેની અંતિમયાત્રામાં બન્ને દીકરીઓ સ્વાતીબેન જોટંગીયા (ચેરમેન-જેતપુર નવાગઢ નગર પાલીકા) તથા ઉર્વીબેન દોશી એમ બંન્ને દીકરીઓએ માતુશ્રીને કાંધ તેમજ અગ્નિદાહ આપ્યો હતો. બન્ને દીકરીઓએ સદગત માતુશ્રી કાંધ આપી તે તસ્વીર.

(12:55 pm IST)