Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

મોરબી તાલુકામાં કિશાન આંદોલનની સમજ આવી

 મોરબી : ગુજરાત કિશાન સંદ્યર્ષ સમિતિમાં નક્કી થાય મુજબ મોરબી તાલુકાના કાંતિપૂર અને માણેકવાળા ગામની મુલાકાત લઈ ને ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ અધ્યાદેશમાં ખેડુતોને થનાર નુકશાનથી અવગત કરાવવામાં આવ્યા અને દિલ્હી ખાતે ચાલી રહેલ કિસાન આંદોલન બાબતે જાણકારી આપી અને લોકોને દિલ્હી જાવા માટે આહવાન કરવામાં આવ્યુ હતું. જેનો સારો પ્રતિસાદ મળ્યો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી જવાની તૈયારી બતાવી અને ત્રણ અધ્યાદેશ નાબૂદ ના થાય ત્યાં સુધી લડત લડવાની ખેડૂતોએ તૈયારી દર્શાવી હતી ખેડૂતો દ્વારા વડાપ્રધાનને મોટી સંખ્યામાં પત્ર લખીને પણ અપીલ કરવાનું નક્કી કરવામાં આવ્યું આ કામ માટે કે.ડી.બાવરવા, હસમુખભાઈ કાસુન્દ્રા અને તેની ટીમ સાથે રહી ને હજુ પણ અન્ય ગામોની મુલાકાત લઈ ને ખેડૂતોને સમજૂતી આપવાની કામગીરી કરવામાં આવશે. સમિતિની બેઠક મળીને તસ્વીર.

(11:30 am IST)