Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

જામનગરમાં ભાજપ દ્વારા જનજાગૃતિ અભિયાન સંમેલન યોજાયું

જામનગર,તા.૨૮:નાગરિક સંશોધન અધિનિયમ અંતર્ગત ફેલાવામાં આવી રહેલી ગેરસમજ અંગે હકીકત રજુ કરવા તથા નાગરિક સંશોધન અધિનિયમ અંગે વિસ્તૃત સમજ આપવા માટે ભારતીય જનતા પાર્ટી શહેર જિલ્લા દ્વારા જનજાગૃતિ અભિયાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ખાસ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી શ્રી પ્રદીપસિંહ વાદ્યેલા દ્વારા સી.એ.એ વિષે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી

આ તબ્બકે મંચસ્થ મહાનુભાવોમાં શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, જિલ્લા પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, મેયર હસમુખભાઈ જેઠવા, ધારાસભ્ય રાદ્યવજીભાઈ પટેલ, દેવભૂમિદ્વારકા અધ્યક્ષ કારૂભાઇ ચાવડા, પૂર્વ ધારાસભ્ય મેદ્યજીભાઈ ચાવડા, લાલજીભાઈ સોલંકી, પ્રદેશ કિશાનમોરચા મહામંત્રી રમેશભાઈ મૂંગરા ઉપસ્થિત રહ્યા હતા તેમજ દીપપ્રાગટ્ય અને વંદેમાતરમના સમૂહગાન સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, જિલ્લા પ્રમુખ ચંદ્રેશભાઇ પરેલ, કૃષિમંત્રી આર.સી,ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, શહેર મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા, વિમલભાઈ કગથરા, પ્રકેશભાઈ બામણીયા, જિલ્લા મહામંત્રી વિનોદભાઈ ભેંડેરી શહેર ઉપાધ્યક્ષ, શહેર મંત્રી, મેયર હસમુખભાઈ જેઠવા, ડે મેયર કરશનભાઇ કરમુર, શાશકપક્ષ નેતા દિવ્યેશ અકબરી, દંડક જડીબેન સરવૈયા, સ્ટે. કમિટી ચેરમેન સુભાષ જોશી - સહીત કોર્પોરેટરો, અગ્રણીઓ, વેપારી સંસ્થાના હોદેદારો, યુવા મોરચા, મહિલા મોરચા, બક્ષીપંચ, એનું. જાતિ મોરચા, કિશાન મોરચા, મીડિયા વિભાગ, શિક્ષણસમિતિ ચેરમેન આકાશભાઈ બારડ સહીત શિક્ષણસમિતિ ના સભ્યો, વોર્ડ પ્રમુખો, વોર્ડ સમિતિ ના હોદેદારો સહીત વિશાળ સંખ્યામાં નગરજનો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ગોપાલભાઈ સોરઠીયા તથા મોનિકાબેન વ્યાસ દ્વારા કરવામાં આવેલ. ઙ્ગભારતીય જનતા પાર્ટી જામનગર શહેર મીડિયા વિભાગના આશિષભાઇ કંટારીયા તથા ભાર્ગવ ઠાકર ની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

(1:13 pm IST)