Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

જામનગરમાં મુસ્લિમ યુવકની હત્યાનું કારણ અકબંધઃ હત્યા કરનારાની શોધખોળ

જામનગર, તા. ૨૮ :. શહેરના રાજકોટ રોડ પર આવેલા વિકટોરીયા પૂલ પાસે આજે સવારે એક યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. વિકટોરીયા પૂલ પાસે મૃતદેહ પડયો હોવાની જાણ પોલીસને થતા બી-ડિવીઝન પોલીસનો કાફલો તુરંત જ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને યુવાનની ઓળખ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી.

ડીવાયએસપી સહિતના પોલીસ સ્ટાફે યુવાનના મૃતદેહને સંભાળી આકસ્મીક મૃત્યુનો ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જેમાં મૃત્યુ પામનાર યુવાન મોહસીન મામદ ઢાબરીયા (ઉ.વ.૩૦) અને વિકટોરીયા પૂલ પર આવેલ બારદાનવાલા કોમ્પલેક્ષમાં રહેતો હોવાનું જાણવા મળ્યુ હતું. પ્રાથમિક વિગત પ્રમાણે આ યુવાન ચાની લારીએ કામ કરતો હોવાની વિગત પ્રાપ્ત થઈ હતી.

ત્યારે આ યુવાનની હત્યા કરવામાં આવી હોય તેવી આશંકાઓ પોલીસે તપાસ શરૂ કરી હતી. મહત્વનું છે કે પોલીસને હાલ આ અંગે કોઈપણ વિગત પ્રાપ્ત થઈ નથી તેથી જો યુવાનની હત્યા કરવામાં આવી હોય તો કયાં કારણોસર હત્યા થઈ છે અને કોણે કરી છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલ ઘટના સ્થળ પર ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે અને ડોગ સ્કવોડની મદદથી તપાસ આરંભી દેવામાં આવી છે. આ અંગે મૃતકના ભાઈ હારૂનભાઈ મામદભાઈ ધારીયાએ સીટી બી-ડિવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩૦૨, ૧૧૪ અને જીપીએકટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ પો.ઈ. આર.જે. પાંડર ચલાવી રહ્યા છે.

(3:50 pm IST)