Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

જોડીયામાં નિવૃતિ સન્માન સમારોહ

 જોડીયાઃ શેઠ કાકુભાઇ સ્ત્રી ઉદ્યોગશાળા સંચાલિત શ્રીમતી યુ.પી.વ્યાસ કન્યા વિદ્યાલયના ધનાગૌરી ભાણજીભાઇ રાણોલિયાનો નિવૃતિ સન્માન સમારોહ યોજાયો હતો. આચાર્ય પ્રવિણાબેન ફીણવીયાના સ્વાગત પ્રવચન બાદ સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ધનાગૌરી ભાણજીભાઇ રાણોલીયાની સફરની શરૂઆત તા.૦૬-૦૯-૧૯૮૮થી થયેલ અને ૩૧-૧૦-ર૦૧૭ના રોજ તેઓ નિવૃત થયેલ. તેમના કાર્યકાળના ર૯ વર્ષ પુર્ણ થયેલ છે. આભારવિધિ તરૂબેન વાજાએ અને સંચાલન સ્મીતાબેન ફડદુએ કર્યુ હતુ.(તસ્વીર-અહેવાલઃ રમેશ ટાંક-જોડીયા)

(9:29 am IST)