Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં વનવિભાગની ભુમિકા યોગ્ય તો પિરોટન સહિતના ટાપુઓમાં કેમ નહી? જામનગર હિન્દુ સેના

જામનગર તા.૨૦: પિરોટન ટાપુ પર વન વિભાગ મરીન નેશનલ પાર્કનો કબજો છે ત્યાં જવા આવવા માટે સરકારી પરમીશન ફરજીયાત છે થોડા સમય પહેલાં ત્યાં મુસ્લિમ બિરાદરીના એક મુંજારવની દફનવિધિ થયેલ અને હિન્દુ સેનાની સક્રિયતા બાદ ફોરેસ્ટ વિભાગ ધંધે લાગી ગયેલ. પરંતુ નિયમોની અમલવારી કરવામાં કાચું પડતું હોય તેમ દેખાય છે. મરીન નેશનલ પાર્કમાં આવતા આ પીરોટન ટાપુ પર પરવાનગી વિના આવતા મુસ્લિમ બિરાદરીના લોકોને આવતા-જતા રોકવામાં આવતા નથી. કાં તો કાંઇક રંધાઇ રહયું છે? પરંતુ હિન્દુ લોકોને પરવાનગી લેવાની અને હાલમાં તો તે પણ બંધ છે. તો શું વન વિભાગ મશીન નેશનલ પાર્કમાં આવતા આવા ટાપુઓમાંથી પણ ભંડોળ ભેગું કરે છે? જો આવું જ બનતુ હોય તો જિલ્લાના ઘણા ટાપુ પર આવા જ વિષયો ચાલી રહયા છે. એટલે જ અમુક ટાપુ પર પ્રતિબંધ રાખ્યો છે જેથી વન વિભાગના અધિકારીઓના ખીસ્સા ભારે રહી શકે. ખરેખર વન વિભાગ ઇચ્છે તો હિન્દુઓને થતા અન્યાયને દૂર કરી ન્યાય આપી શકે છે, કાંતો આ વિભાગની ચોટલી દબાયેલી લાગે છે કે જે હિન્દુઓને અન્યાય કરી રહ્યું છે.

ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં જવા પરવાનગી મળે છે પરત આવતા ૧૪ કિ.મી. જેટલું અંતર કાપવું પડે, બાળકો કે વૃદ્ધો માટે ખરેખર તે મુશ્કેલ છે. અને આ ખીજડીયા પક્ષી અભ્યારણ્યનું એટલુ મહત્વ છે તેટલું જ મહત્વ પિરોટન ટાપુ અને અન્ય ટાપુઓનું છે. ફકત પર્યાવરણ જ નહીં ધાર્મિક દ્રષ્ટિ અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ પિરોટન ટાપુ એટલું જ મહત્વ ધરાવે છે. શિયાળાની શરૂઆત સાથે જ પિરોટન ટાપુ પર જવાની સંખ્યામાં વધારો થાય છે તેવું હિન્દુ સેનાના જી.એચ.એસ.આઇ. દ્વારા અહેવાલ પ્રાપ્ત થયેલ છે તે પણ પરમીશન વિના અનુ મુસ્લિમ બિરાદરીના લોકો પાસે કોઇ નિયમોનો અમલ કરાવવાની ત્રેવડ આ વન વિભાગમાં નથી એટલે તો નવા નવા ફતવાઓ કાઢી પોતાના પાવરનો દેખાવ કરે છે બાકી જો સાચી ત્રેવડ હોય તો હાલમાં જતા-આવતા પિરોટન ટાપુ પરનાં લોકોને અટકાવી જુએ અને કાયદાકીય પ્રક્રિયા કરી પ્રજાને અખબારના માધ્યમથી આંકડાકીય માહિતી જાહેર કરે, બાકી તો હિન્દુસ્તાનમાં હિન્દુઓને તો અન્યાય જ થવાનો છે. અને પિરોટન જેવા અનેક ટાપુ વન વિભાગની મહેરબાનીથી સરકી જશે, વેચાઇ જશે તેમાં કોઇ શંકા નથી. તો વન વિભાગ અને મરીન નેશનલ પાર્ક ખરેખર સાચી હકીકત અને માહિતીઓ અખબારના માધ્યમથી જાહેર કરે તેવી પણ હિન્દુ સેનાની માંગણી છે.

(1:43 pm IST)