Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

જસદણમાં ગોવર્ધનનાથજીનો પાટોત્સવ

જસદણ તા.૨૦ : સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિધ્ધ શ્રી ગોવર્ધનનાથજીની હવેલીમાં શ્રી ગોવર્ધનનાથજીનો પાટોત્સવ તા.૨૧ને મંગળવારના રોજ ભવ્યતાથી ઉજવાશે. આ પ્રસંગે સવારે ૮ થી ૯ મંગળા દર્શન, બપોરે બાર કલાકે રાજભોગ દર્શન, નંદ મહોત્સવ તથા તિલક દર્શન યોજાશે. રાજભોગના દર્શન બાદ આમંત્રીત સભ્યો માટે બપોરે એક કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

હવેલીમાં ચાલતા શ્રી ચંદુલાલ કાંતીલાલ પટેલ ગોવર્ધનનાથજી પાટોત્સવ ફંડના ઉપક્રમે આ પાટોત્સવ ઉજવાશે. સાંજે હવેલીમાં યમુનાષ્ટકના પાઠ તેમજ સત્સંગ યોજાશે. આ પ્રસંગે શ્રી ગોવર્ધનનાથજીને તેમજ શ્રી બાલકૃષ્ણલાલજીને સુંદર શ્રૃંગાર કરવામાં આવશે. મુખ્યાજી ઘનશ્યામભાઇ જોશી તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.

(12:15 pm IST)