Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ભાવનગરમાં 'ક્ષત્રીય નારી રત્નો' પુસ્તકનું વિમોચનઃ નારી રત્ન સન્માન

ભાવનગર તા. રર :.. ભાવનગર ખાતે ગુજરાતમાં વસતા ક્ષત્રીય પરિવારની એકસો જેટલી નારીઓને બિરદાવતું પુસ્તક 'ક્ષત્રીય નારી રત્નો' નો વિમોચન અને નારી રત્ન સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

નિલમબાગ પેલેસ હોટલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, ગીતાબા જાડેજા, ગાયત્રીબા વાઘેલા, એકતાબા સોઢા, વાસુદેવસિંહ ગોહીલ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ભરતસિંહ ગોહીલ સહિતના ક્ષત્રીય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગીક પ્રવચન કર્યુ હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોના હસ્તે ક્ષત્રીય સમાજના નારી રત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આમંત્રીતો તથા ક્ષત્રીય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

(12:12 pm IST)