Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ભાણવડના ભરતપુરમાં રસ્તે ચાલવા બાબતે યુવાનને માર માર્યો

ખંભાળીયા, તા., ર૦: ભરતપુર ગામે રહેતા મણંદભાઇ રૂપાભાઇ સાદીયા (ઉ.વ.૩૮) ના અનુ.જાતીના   યુવાને પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે ખીમા જીવા વસરા અને પોતાનું મકાન બાજુબાજુમાં હોય અને તેમની વાડીએ જવાનો રસ્તો આરોપીઓના ઘર પાસેથી નિકળતો હોવાથી પોતે ટ્રેકટરલઇ પસાર થતા હતા તે દરમ્યાન જીવા વસરાએ ટ્રેકટર ન નિકળવા દઇ ગાળો કાઢી તેનો પુત્ર ભરત ખીમા, પાબીબેન ખીમા તથા કુંવરબેન ખીમા બધા ત્યાં આવી જઇ અહીંથી નિકળવું નહી કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ઝાપટો મારી હતી. બનાવ અંગે ભાણવડ પોલીસે એટ્રોસીટી એકટ સહીતની કલમ હેઠળ ચારેય વિરૂધ્ધ ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.(

(1:10 pm IST)