Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ભાવનગરના સાંસદ ડો,ભારતીબેન શિયાળ વિરુદ્ધ બોટાદ કોંગ્રેસ દ્વારા આચાર સંહિતા ભંગની ફરિયાદ

પ્રસાર માધ્યમોમાં પ્રસિદ્ધિ કરાવ્યાની ફરિયાદને ભારતીબેને પાયાવિહોણી ગણાવી

 

ભાવનગર: લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ આચારસંહિતા ભંગની ફરિયાદો થવા લાગી છે ભાવનગર  લોકસભા બેઠકના સાંસદ ડો.ભારતીબેન શિયાળ વિરુદ્ધ બોટાદ કોંગ્રેસ દ્વારા આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે.

  બોટાદમાં કોંગ્રેસ દ્વારા ભાવનગર લોકસભા બેઠકના સાંસદ ડો.ભારતીબેન શિયાળ વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે.જે મુજબ 48 કલાકના ટૂંકાગાળામાં સાંસદ વિરુદ્ધ સ્થાનિક પ્રચાર પ્રસાર માધ્યમોમાં તેમની પ્રસિદ્ધી કરાવ્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે, મુદ્દે સાંસદે ફરિયાદને ફગાવી હતી અને તેમની સામે પાયાવિહોણી ફરિયાદ થઇ હોવાનું જણાવ્યું હતું.

(11:37 pm IST)