Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

કાલાવડના નિકાવામાં ખેડુતના ખેતરમાં ઉભા પાકમાં અજાણ્યા શખ્સે આગ લગાડી

કાલાવડ તા ૨૩ : કાલાવડ તાલુકાના નિકાવા ગામે ગત રાત્રીના સમયે નિકાવાના ખેડુત માલિક રાઘવભાઇ રવજીભાઇ મારવીયાના ખેતરમાં પાંચ વીઘા ના ચણાના જીંજરામાં  કોઇ અજાણ્યા ઇસમે આગ લગાડી દેતા તમામ ચણા આગમાં લપેટાઇ જવા પામ્યા હતા. જેની જાણ થતાં જ ગામના સરપંચ સહિત ગામ લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા અને આગની ઘટનાની જાણકારી મેેળવીને તપાસ આરંભીને આગ ચાપનાર ઇસમને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.

(3:18 pm IST)