Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ભાવનગરના કોળીયાક દરિયામાં ડુબી જતા ભરત કારેલીયાનું મોત

ભાવનગર, તા. ર૩ : આનંદનગર વિસ્તારમાં રહેતા ભરતભાઇ મનજીભાઇ કારેલીયા ઉ.વ.૧પ કોળીયાકના દરિયામાં નહાવા પડયા બાદ દરિયાના ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. આ અંગેની જાણ થતાં ભાવનગર મરીન પોલીસએ  અને સ્થાનિક તરવૈયાઓએ ભરતભાઇની શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન ભરતભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો.

યુવતીનો આપઘાત

પ્રેસ રોડ વિસ્તારમાં રહેતી ક્રિષ્ણાબેન અનિલભાઇ ચૌહાણ ઉ.વ.૩૦ નામની યુવતિએ કોઇ અગમ્ય કારણોસર તેના ઘેર ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મોત નિપજયું હતું. આ અંગે સી-ડીવીઝન પોલીસ તપાસ ચલાવી રહી છે.

(12:11 pm IST)