Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ઉનાઃ પત્રકારના મોતમાં તટસ્થ તપાસ કરવા રાજ્યપાલને આવેદનપત્ર

ઉના તા.૨૩: અમદાવાદનાં પત્રકાર ચિરાગ પટેલનાં મોતની તટસ્થ તપાસ કરી ન્યાય આપવા તથા પત્રકારોને સુરક્ષા આપવા ઉનાનાં પત્રકારોએ રાજ્યપાલને આવેદન પત્ર આપ્યું હતું.

અમદાવાદનાં ટી.વી. ચેનલના પત્રકાર ચિરાગ પટેલની લાશશંકાસ્પદ રીતે મળી આવેલી હોય હત્યાની આશંકા સેવાય રહી છે. આ બનાવને ઉનાનાં તમામ પત્રકારોએ વખોડી કાઢી છે.

રાજ્યપાલને આવેદન પત્ર લખી ઉનાનાં પત્રકારો રસીકભાઇ ચાવડા, આરતીબેન ઓઝા સહિતનાં પત્રકારોએ સહી કરી ઉના પ્રાંત કચેરીએ જઇ આવેદનપત્ર આપી સરકાર ચિરાગ પટેલના મોતની તટસ્થ તપાસની માંગણી કરીહતી.

(12:08 pm IST)