Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

આજે નરેન્દ્રભાઈની સૌરાષ્ટ્ર સાથે કચ્છના અંજારમાં જાહેરસભા

જામનગર, પાલીતાણા, અંજાર અને સાંજે રાજકોટમાં, ચુંટણીના પ્રથમ ચરણના અંતિમ તબક્કાનો વેગવંતો પ્રચાર  

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮

વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જાહેરસભાને સંબોધન કરશે. રાજય વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણનો પ્રચાર અંતિમ તબક્કામાં છે. ત્યારે આજે સવારે જામનગર, પાલીતાણા બપોરે કચ્છના અંજાર તેમ જ સાંજે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈની જાહેરસભા યોજાશે. સૌરાષ્ટ્ર કચ્છની ૫૪ બેઠકો ઉપર વર્ચસ્વ મેળવવા આ વખતે ભાજપ દ્વારા આક્રમક રણનીતિ અપનાવાઈ છે. ભાજપ વતી નરેન્દ્રભાઈ ઉપરાંત અમિતભાઈએ પણ સૌરાષ્ટ્ર કચ્છ ઉપર ફોકસ કર્યું છે. કચ્છના અંજાર સહિતની ત્રણ વિધાનસભા બેઠકો ગાંધીધામ તેમ જ મુન્દ્રાને આવરી લેતા સભા સ્થળ નું આયોજન કરાયું હોઈ અંજારને પસંદગી અપાઈ છે. જોકે, ત્રણ મહિના પહેલા ઓગસ્ટના અંતમાં ભુજ મધ્યે નરેન્દ્રભાઈ ની જંગી જાહેરસભા યોજાઇ હતી. હવે અંતિમ તબક્કામાં નરેન્દ્રભાઈ ની જાહેરસભા ને કારણે કચ્છમાં ભારે રાજકીય ગરમાટો આવી ગયો છે.

(10:10 am IST)