Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

જામનગરમાં ગુરુનાનક દેવજીની જન્મજયંતીની સાદગીપૂર્વક ઉજવણી

જામનગરઃ જામનગર ગુરુદ્વારા સિંઘ સભામાં ગુરુનાનક દેવજીની ૫૫૧ મી જન્મજયંતિ સાદગીપૂર્વક મનાવવામાં આવશે, ગુરુદ્વારામાં ૨૮/૧૧/૨૦૨૦ના રોજ સવારે ૧૦ વાગે અખંડ પાઠ સાહેબ આરંભ કરવામાં આવશે અને ૩૦/૧૧/૨૦૨૦ તરીકે પાઠ સાહેબ ૧૦ વાગ્યે પુર્ણાહુતી થશે, તે પછી શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે, સાંપ્રત કોરોનાની મહામારીને ધ્યાને લઈને અને સરકારશ્રીની કોવિડ ૧૯ ની ગાઈડ લાઈન ને અનુસરીને ગુરુદ્વારા કમિટી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યુ છે જે કાર્યકર્મની સંપૂર્ણ સમાપ્તિ ૧૧ વાગે કરવામાં આવશે, સાંપ્રત કોરોનાની મહામારીને જોતા લંગરનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યુ છે.(તસ્વીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

(1:02 pm IST)