Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

જામનગર મનપાના ટેક્સ શાખાની આકરી કાર્યવાહી :વેરો નહીં ભરતા ૧૧ મિલ્કત સીલ

જામનગર: મહાનગર પાલિકાની ટેક્સ શાખા દ્વારા બાકી રહેલો વેરો ભરવા માટે અવારનવાર નોટીસ મોકલવામાં આવે છે પરંતુ કેટલાક લોકો વેરો ભરતા જ નથી ત્યારે આજે ૧૧ મિલકતધારકોની મિલકત સીલ કરી દીધી હતી

 

 

 મહાપાલિકા ની ટીમે દિગ્વિજય પ્લોટ ૬૦ માં જમનાબેન ગંગાશંકર મ્યુનીસીપલ પ્રથમિક સ્કુલનાં રૂપિયા ૬૦૧૪૯, દિગ્વિજય પ્લોટ ૪૫ ગરબી ચોકમાં વજીલ જ્ઞાતિનાં જગ્યાના રૂપિયા ૫૧૭૧૫, ખાદીભંદર સામે આવેલ રમણીકલાલ પોપટલાલના ૪૪૧૬૩, હનુમાન ટેકરી ભાનુશાળી પરાના ૩૨૬૩૨ બેડીગેઈટ પાસે સુપર માર્કેટ માં મધુબેન દિનેશભાઈ ભટ્ટીના ૩૦૦૦૫, દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી સામે આવેલ મોહનલાલ જોરૂમલ ગજરાનાં ૨૯૭૩૧ ની રકમ બાકી હોય તમામ મિલકત સીલ કરી દેવામાં આવી છે.

  મ્યુનીસીપલ કમિશનર આર.બી બારડની સુચનાથી અને નાયબ કમિશનર ટેક્સ જીગ્નેશ નિર્મળનાં માર્ગદર્શન હેઠળ ટેક્સ અધિકારી જી.જે.નંદાણીયા નીતિન મહેતા, અતુલ રાવલ,ની ટીમે વિવીધ સ્થળોએ ૧૧ જેટલી મિલકત સીલ કરી હતી

 

(8:01 pm IST)