Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

વાંકાનેરની મહંમદી લોકશાળામાં કાલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન અંગે માર્ગદર્શન અપાશે

વાંકાનેર તા.૨૮: મહંમદી લોકશાળામાં તા. ૨૯-૧૧-૧૮ને ગુરૂવારે સવારે ૧૦ વાગ્યે ભારત સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત અંગે માર્ગદર્શન સેમીનારનું સુંદર આયોજન હઝરત બાલાપીર મોમીન બૈયતુલમાલ ટ્રસ્ટ સંચાલીત પીર મસાયખ સાર્વજનિક હોસ્પિટલ અને કે.જી.એન. મોમીન મહામંડળ દ્વારા કરવામાં આવ્યું છે.

આ સેમીનારમાં સરકારશ્રીની આરોગ્ય લક્ષી સેવાઓનો લાભ લેવા તેના માટેની જરૂરી પ્રક્રિયા અંગેની માહિતી જાણકાર તજજ્ઞો દ્વારા આપવામાં આવશે આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે તેમ કે.જી.એન. મોમીન મહામંડળ વાંકાનેરના પ્રમુખ શકીલ એહમદ પીરઝાદા એ યાદીમાં જણાવ્યું છે.(૧.૧૩)

(11:38 am IST)