Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

અમરેલી જીલ્લામાં કોરોનાના બેડ ખાલી થઇ રહયા છેઃ મૃત્યુનુ પ્રમાણ ઘટયું

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૨૮: અમરેલી જીલ્લામાં મંગળવારે કોરોનાના ૧પ કેસ નોંધાયા હતા અને તે સાથે કુલ કેસની સંખ્યા ર૬૩૭એ પહોંચી ગઇ છે.

તો બીજી તરફ રાહતના સમાચાર એ છે કે અમરેલીની કોવીડ હોસ્પીટલમાં કોરોનાના બેડ ખાલી થઇ રહયા છે.

માત્ર ૧૪૭ દર્દીઓ જ સારવારમાં રહયા છે જો કે કોરોના હળવો પડયો પણ જતો તો નથી જ. મંગળવારે ર૦ દર્દીઓ સાજા થઇ ગયા હતા અને સૌથી વધુ રાહતની બાબત એ છે કે કોરોનાના દર્દીઓના મૃત્યુનું પ્રમાણ ઘટી ગયું છે.

(12:53 pm IST)