Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ગુજરાત વિધાનસભામાં સ્વ. ગોકળદાસ પરમારને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ ભાવાંજલિ અર્પણ કરી.

મોરબી :  ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ચોમાસું સત્ર  શરુ થયું છે ત્યારે વિધાનસભા સત્રના પહેલા દિવસે ૧૯ જેટલા દિવંગત ધારાસભ્યને અંજલિ આપવાના ગૃહના પ્રસ્તાવમાં ભાગ લેતા શ્રમ, રોજગાર, પંચાયત વિભાગના રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ દિવંગતોને ભાવભીની અંજલિ અર્પી હતી જેમાં એઓએ વાંકાનેરના પૂર્વ રાજવી સ્વ. દિગ્વિજયસિંહજી ઝાલાને પ્રજાવત્સલ અને પર્યાવરણ પ્રેમી લેખાવ્યા હતા
મોરબીના સ્વ. ગોકળદાસ પરમારને ભાવવિભોર ભાવાંજલિ અર્પતા બ્રિજેશ મેરજાએ સદગતની ખાદી પ્રવૃત્તિ, મચ્છુ જળ હોનારત, શિક્ષણ, સિંચાઈ, સહકારી પ્રવૃતિએ કંડારેલ કેડી આજે ધોરીમાર્ગ બની પથદર્શક બની રહી છે તેઓ સતવારા સમાજમાં જન્મેલા હતા પરંતુ બધા સમાજના હામી હતા જયારે ઇન્ટર સાયન્સમાં મુંબઈ ભણતા હતા ત્યારે આઝાદીની ચળવળમાં તેઓ જોડાયા હતા આજીવન નખશીખ પ્રમાણિક અને મુલ્યોના આગ્રહી રહ્યા હતા અંતમાં બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે સ્વ. ગોકળદાસ પરમારની વિદાયથી મોરબીએ મોભી ગુમાવ્યા છે.

(12:48 am IST)