Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

દ્વારકાના વરવાળામાં પ્રેમી સાથે મળીને પત્નીએ પતિની હત્યા કરી

પથ્થરનાં ઘા ઝીંકીને અરવિંદ અસવારને મોતને ઘાટ ઉતારી દેનાર પત્ની પૂનમ અને એજાજ માછીમારની ધરપકડ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૮ :  દ્વારકાના વરવાળા ગામે ગઇકાલે રહસ્યમય રીતે હત્યાની ઘટનાના બનાવમાં પોલીસની તાકીદની તપાસથી હત્યાનો ભેદ ર૪ કલાક પહેલા ઉકેલાઇ જતા તથા તેમાં વિપ્ર યુવાની પત્ની અને તેનો પ્રેમી આ અંગે ઝડપાતા જિલ્લામાં ભારે ચકચાર જાગી છે.

વરવાળામાં રાજગોર પાડામાં રહેતા તથા મજુરી કરીને ગુજરાન ચલાવતા અરવિંદ વરજંગ અસવાર (ઉ.૩૬) વાળો  તેની અગાસીએ સુતેલો તથા તેની પત્ની પુનમબેન સવારે ઉઠાવવા જતા લોહીયાળ સ્થિતિમાં માથે પથ્થરનું બેલુ પડેલી લાશ મળી હતી. બનાવની જાણ થતા ખંભાળિયા ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી તથા એલ.સી.બી.પી.આઇ. શ્રી ચાવડા, એલ.ઓ.જી. પી.આઇ. શ્રી પટેલ તથા સ્ટાફ તથા દ્વારકા પો. ઇ. ઇન્ચાર્જશ્રી ગજેન્દ્રસિંહ ઝાલાએ ડોગસ્કવોડ કૌટુંબિક વિ.ને બોલાવીને તપાસ શરૂ કરી હતી તથા મૃતકના અને ગીતાબેન પ્રફુલભાઇ ઓડીયની ૩૦ર મુજબ ફરીયાદ પણ નોંધી હતી.

મૃતક અરવિંદ રાજગોર મજુરીકામ કરતો અત્યંત સીધો હતો અને તેની પત્ની પુનમબેનને મુળ ખંભાળિયાના વતની તથા દ્વારકા વિસ્તારમાંંં માછીમારી કરતા એજાજ ગજણ સાથે પ્રેમસંબંધ હતો જેને કારણે બન્ને એ ભેગા મળીને અરવિંદને મોતને ઘાટ ઉતાર્યાનું પોલીસની તપાસમાં ખુલતા ગઇકાલે રાત્રે ડી.વાય.એસ.પી. ચૌધરીએ જિલ્લા પોલીસ વડાશ્રી સુનીલ જોશીના માર્ગદર્શન હેઠળ બન્ને પ્રેમીઓ પુનમબેન રાજગોર તથા એજાજ ગજાણની અટકાયત કરીને વિધિસર પુછપરછ કરતા બન્નેએ હત્યાનું કબુલતા આગળ કાર્યવાહી હાથ ધરી છે.  મૃતક અરવિંદના બે પુત્રો ૬ અને ૧૧ વર્ષના હતા તે પણ પિતાની હત્યાથી તથા માતા હત્યાની ગુનેગાર નીકળતા આધાર વિહોણા થઇ ગયા છે.

(1:04 pm IST)