Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

જુનાગઢ જિલ્લામાં વધુ ર૯ કોરોના પોઝીટીવ કેસઃ રર દર્દી ડિસ્ચાર્જ, એકનું મોત

(વિનુ જોશી) જુનાગઢ તા.ર૮ : જુનાગઢ જિલ્લામાં વધુ ર૯ કોરોના પોઝીટીવ કેસનો વધારોથતાં કુલ કેસનો આંક ર૬પ૪ થયો છે.

રવિવારે જુનાગઢ સીટીમાં ૧પ પોઝીટીવ કેસનો ઉમેરો થયો હતો. જયારે જુનાગઢમાં રૂરલ, તથા કેશોદમાં ચાર - ચાર તેમજ વિસાવદરમાં ત્રણ, માણાવદર બે તેમજ ભેંસાણમાં એક નવો કેસ સામે આવેલ.

જો કે રવિવારનાં રોજ મેંદરડા, માણાવદર, માંગરોળ અને વંથલી ખાતે એક પણ કેસ નોંધાયો ન હતો.

જુનાગઢ સીટીના એક કોરોના દર્દીએ ગઇકાલે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

જુનાગઢ જિલ્લામાં હાલ ૧૬૭ કન્ટેઇનમેન્ટ ઝોનમાં ૧,૪ર૭ ઘરોના પ૬ર૭ લોકોનો સમાવેશ થાય છે.

(1:00 pm IST)