Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

જામનગર વ્હોરા પરિવારના ત્રણ મોભીઓના નિધન

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ, તા.૨૮: જામનગરના હુશેની મહોલ્લામાં વસવાટ કરતાં દાઉદી વ્હોરા સમાજના એક અઠવાડિયામાં ત્રવાડી પરિવારના ત્રણ સભ્યોના નિધન થતાં વ્હોરા સમાજમાં શોકની કાલીમા છવાઇ હતી. આ પરિવારના કંધોતર અલીહુસેનભાઇનું નિધન ગત તા.૧૯ના રોજ થયું હતું તે પરિવારજનો હજુ આઘાતમાંથી બહાર આવ્યા નહોતા ત્યાં અલીહુસેનભાઇના પિતા અને કાકા ફકત છ કલાકના અંતરે આ બંને ભાઇઓ જન્નતનશીન થતાં જામનગર વ્હોરા સમાજમાં શોકભીનો માહોલ રચાયો છે. પ્રથમ મરહુમ અલીહુસેનભાઇના પિતા એહમદભાઇએ ફકત છ કલાક બાદ દેહ છોડી દીધો હતો.

(11:46 am IST)