Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ફાર્મસી-ડે નિમિત્તે ભાવનગર જ્ઞાનમંજરી કોલેજ દ્વારા ઉકાળાનું વિતરણ

ભાવનગરઃ જ્ઞાનમંજરી કોલેજીસ સંચાલિત જ્ઞાનમંજરી ફાર્મસી કોલેજ દ્વારા ભાવનગરમાં પ્રથમવાર world pharmacist day નિમિત્ત્।ે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, કોરોના મહામારી સામે રક્ષણ મળી રહે તે માટે આ ગ્રુપ દ્વારા શહેરના નિલમબાગ, વાઘાવાડી રોડ, ઘોઘા સર્કલ, કાળાનાળા સહિતના વિસ્તારોમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આરોગ્યવર્ધક ઉકાળાના પેકેટ આપવામાં આવ્યા હતા તેમજ લોકોને માસ્કનો કઈ રીતે ઉપયોગ કરવો વારંવાર પોતાના હાથ સાબુથી ધોવા અને સેનેટાઈઝર નો ઉપયોગ કરવો જેવી સંપૂર્ણ માહિતી આપી જ્ઞાનમંજરી ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા લોકોને સમજ આપવામાં આવી હતી તેમજ આપણે ચોક્કસ પણે કોરોના વાયરસ મહામારીને હરાવી દઈશું તેવો સંદેશો પણ લોકોને આપ્યો હતો આ અભિયાનને સફળ બનાવવા માટે કોલેજના પ્રિન્સિપાલ ડો.અરવિંદ લુંમ્ભાની અને તેમની ટીમે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

(11:44 am IST)