Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

'તેરા તુજકો અર્પણ' ની ભાવના સાથે દ્વારકાધીશ ભગવાનને દુબે પરિવાર દ્વારા ૧૧ કિલો ચાંદી અર્પણ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ૨૮: ભગવાન શ્રી દ્વારકાધીશને દુબે પરિવાર દ્વારા ૧૧ કિલો ચાંદી અર્પણ કરવામાં આવી હતી. ભગવાન શ્રી દ્વારકાધીશની આસ્થા દુર દુર સુધી ફેલાયેલી છે. 'તેરા તુજકો અર્પણ' ની ભાવનાથી ભગવાનની કૃપા પ્રસાદી રૂપે સુખી સંપન્ન લોકો ભગવાનને અર્પણ કરવા કંઇને કંઇ ભેટસોગાદો લઇને આવતા હોય છે. દ્વારકાધીશના પરમ ભકતશ્રી રામ મુરત દુબે, બદ્રી પ્રસાદ દુબે તથા દુબે પરીવાર દ્વારા શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે ઠાકોરજીને ૧૧ કિલો ચાંદી અર્પણ કરવામાં આવી હતી. (તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(11:53 am IST)