Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ધુનડાના સતપુરણધામ આશ્રમે પી.એસ.આઇ. જે.કે.મોરીનું સન્માન

જામજોધપુર તાલુકાના ધુનડા ગામે આવેલ સતપુરણધામ આશ્રમની ગઇકાલે જામજોધપુરના પી.એસ.આઇ. જે.કે.મોરી તથા સ્ટાફના માલદેભાઇ બડીયાવદરા, જીતુભાઇ પટેલ સહીતનાએ મુલાકાત લીધી હતી. દરમ્યાન આશ્રમના સંસ્થાપક પુ. જેન્તિરામબાપાએ જે.કે.મોરી સહીત સ્ટાફનું શાલ ઓઢાડી ગુરૂ ગીતાની પુસ્તિકા આપી સન્માન કર્યુ હતું જે તસ્વીરમાં નજરે પડે છે. આ તકે સતપરિવારના ગુરૂભકતો ભીખુભાઇ જીલરીયા, વિનુભાઇ જોષી, હિરેનભાઇ જોષી, શાસ્ત્રી ભાવેશભાઇ શીલુ, કમલેશભાઇ શીલુ સહિતના ઉપસ્થિત રહયા હતા (અહેવાલ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:32 am IST)