Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

જેતપુરમાં વિજ લાઇનની કામગીરી વખતે થાંભલા ઉપરથી પડતા રાજસ્થાનના મજુરનું મોત

જેતપુર તા.૨૮: શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં પી.જી.વીસી.એલ.ની લાઇનની કામગીરી આજરોજ ચાલુ હોયતે કામના કોન્ટ્રાકટરે કામ માટે રાખેલ મજુરો કામ કરતા હતા તે દરમ્યાન લાઇનના તાર ખેંચવા માટે થાંભલા ઉપર ચડેલ પર પ્રાંતિય મજુર લખારામ સોનારામ (ઉ.વ.૩૫) મુ. બાડમેર રાજસ્થાન અચાનક કોઇ કારણોસર થાંભલા પરથી નીચે પડકાતા રોડ પર માથાના ભાગે ગંભીર ઇજા થઇ લોહી લુહાણ થઇ જતા તાત્કાલિક તેને સારવાર માટે ખસેડવાની કાર્યવાહી કરતા હતા દરમ્યાન તેનું મોત નિપજતા તેની ડેડ બોડીને પી.એમ. માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આ બનાવ અંગે શહેર પોલીસને જાણ કરેલ.

મરણ જનાર લખારામ પરિવારમાં તેની પત્ની બે બાળકો છે તેના મૃત્યુથી કારીગરોમાં શોકનું મોજુ ફેલાઇ ગયું છે.(

(3:34 pm IST)